-->

Raksha Bandhan Date: ક્યારે છે રક્ષાબંધન, રક્ષાબંધન પર રાખડી બાંધવાના શુભ મુહૂર્ત

 

Raksha Bandhan Date: ક્યારે છે રક્ષાબંધન, રક્ષાબંધન પર રાખડી બાંધવાના શુભ મુહૂર્ત


Raksha Bandhan Date: શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો. અધિક શ્રાવણ માસ એટલે કે પુરૂષોતમ માસ પુરો થયા બાદ હવે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. શ્રાવણ મહિનામા ઘણા તહેવારો આવે છે તે પૈકી રક્ષાબંધન પણ એક મોટો તહેવાર શ્રાવણ માસમા આવે છે. રક્ષાબંધન ના પવિત્ર દિવસે બહેન તેના ભાઇને રાખડી બાંધે છે. આ વર્ષે તિથીઓની વધઘટ અને મુહુર્ત ને લીધે રક્ષાબંંધન 30 ઓગષ્ટે છે કે 31 ઓગષ્ટે તેમા લોકો મૂંઝવણમા છે.




Raksha Bandhan Date 2023

Raksha Bandhan 2023: ભાઈ-બહેનના પવિત્ર સ્નેહનું પ્રતીક એટલે રક્ષાબંધનનો તહેવાર. આ વખતે રક્ષાબંધન બે દિવસે ઉજવવામાં આવનાર છે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂનમે ભદ્રા યોગ હોવાના કારણે આ વર્ષે રક્ષાબંધન નુ પર્વ 30 અને 31 ઓગસ્ટે એમ 2 દિવસ છે.

  • આ મહિનામા આવી રહ્યો છે ભાઈ બહેનના સ્નેહનો તહેવાર
  • લોકોમા કનફયુઝન… 30 કે 31 ઓગસ્ટ ? ક્યારે ઉજવાશે રક્ષાબંધન ?
  • રક્ષાબંધનના રાખડી બાંધવાના સૌથી શુભ મુહૂર્ત

આ વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂનમે ભદ્રા યોગ હોવાના કારણે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટે એમ 2 દિવસ રહેશે. રક્ષાબંધન ના રાખડી બાંધવાના શુભ મુહૂર્ત 30 ઓગસ્ટ, બુધવારે રાત્રે 8.57 થી શરૂ કરીને 31 ઓગસ્ટ ગુરૂવારે ઉદયાતિથિમાં સવારે 7.46 વાગ્યા સુધી રહેનાર છે. સ્ર્હાવણ મહિનાની પુનમ 30 ઓગસ્ટ સવારે 10.13 થી શરૂ થશે. ભદ્રાકાળ સવારે 10.23 વાગ્યાથી લઈને રાત્રે 8.57 વાગ્યા સુધી રહેનાર છે.

રક્ષાબંધન શુભ મુહુર્ત

Raksha Bandhan Date; 30 ઓગસ્ટે ભદ્રા મૃત્યુ લોકની હોવાના કારણે સવારે 10.13 વાગ્યાથી લઈને 8.57 સુધી રાખડી નહી બાંધી શકાય. એવી માન્યતા છે કે ભદ્રાનો યોગ હોવા પર રાખડી બાંધવી શુભ હોતી નથી. રાખડી હંમેશા ભદ્રા રહિત કાળમાં બાંધવી જ શુભ માનવામાં આવે છે.

પૂજા- સામગ્રીની લિસ્ટ

રાખડી

  • રક્ષાબંધન પર સૌથી જરૂરી વસ્તુ છે રાખડી. પૂજાની થાળીમાં જ રાખડી મુકીને પછી ભાઈને તિલક કરીને રાખડી બાંધવી જોઇએ.

કંકુ

  • રક્ષાબંધનના દિવસે બહેન સૌથી પહેલા ભાઈના માથા પર તિલક લગાવે છે. તિલક લગાવવા માટે કંકુની જરૂર રહે છે. રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં રાખડીને જરૂર મુકવી જોઇએ. હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા તિલક લગાવવાની પરંપરા છે.

અક્ષત

  • તિલક લગાવ્યા બાદ માથા પર ચોખા પણ લગાવવામાં આવે છે. તેને અક્ષત કહેવામા આવે છે. રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં ચોખા જરૂર મુકવા જોઇએ.

મિઠાઈ

મિઠાઇ એ શુભ કાર્યનુ ર્પતિક છે. તહેવાર હોય અને મિઠાઈ ન હોય એવું કઈ રીતે બને. રક્ષાબંધનના પર્વમાં બહેન ભાઈને મિઠાઈ ખવડાવે છે. પૂજાની થાળીમાં મિઠાઈ જરૂર રાખવી જોઇએ.

રક્ષાબંધન પર ભદ્રા કેટલો સમય છે?

શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 30મી ઓગસ્ટના રોજ સવારે 10.58 વાગ્યાથી 31મી ઓગસ્ટના રોજ સવારે 07.05 વાગ્યા સુધી રહેશે. 30 ઓગસ્ટ, 2023 ના રોજ, ભદ્રા સવારે 10.58 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 09.01 સુધી ચાલે છે. આવી સ્થિતિમાં, ભદ્રાની સમાપ્તિ પછી જ રાખડી બાંધવી સારી રહેશે. આ દિવસે ભદ્રા પૃથ્વીમાં જ રહેશે, જે અશુભ ગણવામાં આવે છે.

ભાઈને આ રીતે બાંધો રાખડી

રક્ષાબંધનના દિવસે શુભ યોગમાં બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધવી જોઈએ. ભાઈને રાખડી બાંધતા પહેલા તમારા મનપસંદ ભગવાનને રાખડી ચઢાવો. રક્ષાબંધનના દિવસે સૌ પ્રથમ કંકુ, ચંદન, રાખડી, ઘીનો દીવો, મીઠાઈ, અક્ષત, ફૂલ વગેરે એક થાળીમાં રાખો.

ધ્યાન રાખો કે બેસતી વખતે ભાઈના મુખની દિશા પૂર્વ કે ઉત્તર તરફ હોવી જોઈએ. પછી પહેલા ભાઈની આરતી કરો. આ પછી કપાળ પર કંકુ, ચંદન અને અક્ષત લગાવો. આ પછી ફૂલ ચઢાવો અને પછી રાખડી બાંધો. અંતે મીઠાઈ ખવડાવો. આ પછી ભાઈ તેની બહેનના ચરણ સ્પર્શ કરે છે અને તેને ભેટ આપે છે.

રક્ષાબંધન પર રાખડી બાંધવાના નિયમો

રાખડી બાંધતા પહેલા બહેને ભાઈના કપાળ પર કંકુનુ તિલક અને ચોખા લગાવવા જોઈએ. ભાઈઓએ આ સમય દરમિયાન પોતાના માથા પર રૂમાલ રાખવો જોઈએ.
ભાઈ એ ધ્યાનમાં રાખવું કે રાખડી ક્યારેય ખાલી અને ખુલ્લા હાથે ન બાંધવી જોઈએ. હંમેશા થોડા પૈસા અને અક્ષત હાથમાં રાખો અને તમારી મુઠ્ઠી બંધ રાખો. આવું કરવાથી ઘરમાં ધન અને સંપત્તિ જળવાઈ રહે છે.
રાખડી બાંધ્યા પછી ભાઈએ પોતાની ક્ષમતા મુજબ બહેનને કંઈક ભેટ આપવી જોઈએ.બહેનને ખાલી હાથે ન છોડો. આવું કરવાથી લક્ષ્મી ગુસ્સે થાય છે.
ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ભાઈના જીવન પર તેની ખરાબ અસર પડે છે.

બહેનો રાખડી બાંધતી વખતે આ મંત્રનો જાપ કરો

ऊँ येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेन त्वामपि बध्नामि रक्षे मा चल मा चल।।

હું તમને એ જ રક્ષાસૂત્રથી બાંધું છું જેનાથી મહાન પરાક્રમી રાજા બલિને બાંધવામાં આવ્યા હતો. હે રક્ષા (રાખી), તું અડગ રહે. રક્ષણ કરવાના તમારા સંકલ્પથી ક્યારેય ડગશો નહીં. એવું માનવામાં આવે છે કે જે લોકો આ મંત્ર સાથે રાખડી બાંધે છે, તે રક્ષાસૂત્ર તેમના ભાવનાત્મક સંબંધોને મજબૂત રાખે છે અને જીવનમાં ખુશીઓ લાવે છે.